અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન વિશે ચોંકાવનાર બાબત આવી સામે

સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન વિશે એક ચોંકાવનાર બાબત સામે આવી છે જેમાં જાણવા મળી રહ્યું છે કે, 12 વર્ષ જૂના આ વિમાનમાં જમણી સાઈડના એન્જિનમાં થોડા દિવસો પૂર્વે જ સમારકામ કરવામાં આવેલ હતું. અને ત્રણ માસ અગાઉ માર્ચ 2025માં બદલી કરવામાં આવેલ હતું. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ ક્રેશ થયું.તેમજ આ  દુર્ઘટનામાં 242 મુસાફરો સવાર હતા. જેમાથી એક સિવાય તમામ કાળનો કોળિયો બન્યા હતા.