ભુજના અમનનગરમાં 26 વર્ષીય યુવાને કર્યો આપઘાત

copy image

copy image

ભુજ ખાતે આવેલ અમનનગરમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસોખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ અમનનગરમાં પ્રભાત બેકરી નજીક રહેતો 26 વર્ષીય મોઇનુદ્દીન સૈયદ પોતાના ઘરે હાજર હતો તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર રૂમની આડી પર અજરખ બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.