અંજારના ટપ્પર ડેમમાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

copy image

અંજાર ખાતે આવેલ ટપ્પર ડેમમાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ 35 વર્ષીય ક્રિષ્નાસિંહ ક્રિષ્ટોસિંહ રાજપૂત નામનો યુવાન ટપ્પર ડેમમાં નહાવા ગયો હતો. દરમ્યાન હતભાગી પાણીમાં ડૂબી ગયો હતો. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.