ગાંધીધામના જવાહરનગરમાં આધેડે કર્યો આપઘાત

copy image

ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાં એક આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર જવાહરનગરમાં આવેલી ઓબીએસ ઈન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતા 43 વર્ષીય અમજત અલી પોતાના ઘરે હાજર હતા, તે સમય દરમ્યાન કોઈ અકળ કારણે બારીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઉપરાંત તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.