યોગ ભારતે વિશ્વને આપેલી ભેટ છે. દર વર્ષે 21 જૂને ‘ઇન્ટરનેશનલ યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે


આજે વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગ ડે સાથે ‘વર્લ્ડ મ્યુઝિક ડે’ પણ છે. ત્યારે મ્યુઝિક અને યોગના સંયોજનથી શરીર પર શું અસર થાય છે તે વિશે પરીસ્કાર 2 માં રહેતા RSS ના પ્રખર સ્વયંસેવક એવા અંશુલ સોમાણી સાથે વાત કરી હતી.
હાટકેશ્વરમાં પરીસ્કાર 2 માં યોગનું આયોજન કરવામાં આવેલું, તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, યોગ મંત્રોચ્ચારણ સાથે આધ્યાત્મિક અને સાયન્ટિફિક બંને રીતે અસરકારક છે.’
‘ઓમકાર’ના વાઈબ્રેશન સાથે યોગ કરવાથી મન-શરીર સંતુલિત રહે છે. જે વ્યક્તિને શાંતિ, સંતુલન અને ઊર્જા આપે છે.
તેવીજ રીતે થલતેજ માં આવેલ ગાર્ડનમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ને યોગ દિવસની ઉજવણી કરી હતી, તેમાં ડૉ.કિરીટ ઠાકરના જણાવ્યા મુજબ ભારતીય યોગ સંસ્થાન મારફતે અહીં રોજ સવારે આશરે 50 લોકોની સારા સ્વાસ્થ્ય માટે ઘણા વર્ષોથી ફ્રી યોગ શિબિર ચલાવવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનથી લઈને આગામી 31 ડિસેમ્બર 2025 સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોગ યાત્રાઓ યોજીને લગભગ દસ લાખ લોકોનું 10 – 10 કિલો વજન ઘટાડવાનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાથ ધરાયો છે. રાજ્ય સરકારે આપેલા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના સ્લોગન આપ્યું છે. તે માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત 21 જુને રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા સ્તરે 311 મોટા કાર્યક્રમો આપવામાં આવ્યા છે. જેમાં લગભગ દોઢ કરોડ લોકો જોડાયા હતા.
યોગ અને તેની હકારાત્મક અસરનો વ્યાપ વધતા વધુ ને વધુ લોકો યોગ સાથે જોડાઈ રહ્યા છે.
અત્યારે રાજ્યના 33 જિલ્લાઓમાં ચાલી રહેલા 3516 નિઃશુલ્ક યોગ ક્લાસમાં દરરોજ યોગ કરનારા સાધકોની સંખ્યા 1.30 લાખ થઈ ગઈ છે. જેમાં એકલા અમદાવાદમાં જ ચાલતા 467 ક્લાસમાં 17,279 સાધકો રોજ યોગ કરી રહ્યા છે.