ભાવનગરના તળાજામાં માલધારી પર સિંહનો હુમલો

copy image

copy image

ભાવનગર ખાતે આવેલ તળાજાના ખંઢેરામાં એક માલધારી પર સિંહે હુમલો કરી દીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખંઢેરા ગામમાં રાતના અરસામાં આ માલધારી પોતાના માલઢોર સાથે વાડામા હાજર હતો. તે સમયે અચાનક સિંહે આવી જઈને હુમલો કરી દીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ઘાયલ થયેલ આ માલધારી શખ્સને સારવાર અર્થે લઈ જવામાં આવતા તેને માથાના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા છે.  આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.