અંજારના નવાનગર જીઆઈડીસીમાં યુવાને ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

અંજાર ખાતે આવેલ નવાનગર જીઆઈડીસીમાં રહેતા એક યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ અંજારમાં ગુલાબમિલ નજીક રહેનાર 23 વર્ષીય રાહુલ રાજગોર ગત દિવસે પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ગળેફાંસો ખાઈ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. તે યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.