ગાંધીધામના શિણાયની યોગીપુરમ સોસાયટીમાં 45 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ કાર્યો આપઘાત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ  શિણાયની યોગીપુરમ સોસાયટીમાં 45 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શિણાયની યોગીપુરમ સોસાયટીમાં રહેનાર વિજયસિંહ ભુરૂભા રાણા નામનો શખ્સ ગત દિવસે સવારના સમયે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર તેને ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ વ્યક્તિએ કયા કારણે આવું પગલું ભર્યું હશે ? તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.