ગાંધીધામમાં 40 વર્ષીય આધેડે જીવનલીલા સંકેલી

copy image

ગાંધીધામમાં 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બની હતી. અહી રહેનાર મહેન્દ્ર ચૌધરી નામનો શખ્સ પોતાની પત્નીને કામે મૂકીને પરત ઘરે આવેલ, જ્યાં કોઈ અકળ કારણોસર તેને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. હતભાગીની પતિએ સાંજે આવીને જોતાં આ શખ્સ લટકતી હાલતમાં જણાઇ આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.