ગાંધીધામના ભારતનગરમાં યુવાને ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

copy image

ગાંધીધામમાં આવેલ ભારતનગર વિસ્તારમાં રહેનાર 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય અકારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાથી મળતી માહિતી મુજબ જય અંબે સોસાયટી ભારતનગર વિસ્તારમાં રહેનાર 28 વર્ષીય યુવાન કિશન મુકેશ સથવારા પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન કોઇ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હસે તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.