બરંદા-નારાયણ સરોવર રોડ પર આવેલ બ્રીજ ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ થવા અંગેનું જાહેરનામું
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૧ ખંડ(બી) મુજબનું જાહેરનામું
જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, કચ્છ-ભુજ
નં મેજી/પોલ/જાહેરનામું-૩૩(૧)/ભારે માર્ગ નિયમન/૦૮/૨૦૨૫
વંચાણ:(૧) કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના પત્ર .હા /પીબી/૧૭૨૮/૨૦૨૫ તા. ૦૪/૦૮/૨૦૨૫
(૨) પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના પત્ર નં.એલઆઈબી/આઈબી-૪/હંગામી/જાહેરનામા/દરખાસ્ત/૨૮૯૨/૨૦૨૫ ता.०८/०८/२०२५
(૩) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, નખત્રાણાના પત્ર નં.મેજી/ભારે/વાહન/૦૭/૨૦૨૫ તા.૧૨/૦૮/૨૦૨૫
કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના બરંદા-નારાયણ સરોવર રોડ પર આવેલ સ્ટ્રકચર ૨૭૨/૩૦૦ (માયનોર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અઘિક્ષકશ્રી, પશ્વિમ કચ્છ-ભુજના વંચાણ-ર તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, નખત્રાણાના વંચાણ-૩વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ છે. જે ઘ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી હું આનંદ પટેલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૧૩/૧૧/૨૦૨૫ સુધીના સમયગાળા માટે નીચે અનુસૂચિમાં જણાવેલ બ્રિજ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવું છું.
રહેશે. આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે મુજબનો
અનુસૂચિ:-
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના બરંદા-નારાયણ સરોવર રોડ પર આવેલ સ્ટ્રકચર ૨૭૨/૩૦૦ (માયનોર બ્રીજ)પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે નહી.
અત્રેના અગાઉના જાહેરનામા ક્રમાંક મેજી/પોલ/જાહેરનામું-૩૩(૧)માર્ગ નિયમન/૦૭/૨૦૨૫ તા.૧૧/૦૭/૨૦૨૫માં ભારે વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે બરંદા-નારાયણ સરોવર સહિતનો માર્ગ દર્શાવવામાં આવેલ જે રસ્તો આ જાહેરનામાથી પ્રતિબંધિત થતા સદરહુ રસ્તાનો ભારે વાહનો ઉપયોગ કરી શકશે નહી.
આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છ તથા પોલિસ ખાતાએ ઉક્ત મુજબના રસ્તાઓ પરના જાહેર સ્થળોએ તમામ લોકોને વ્યવસ્થિત દેખાય અને વંચાય એ રીતે ડીસ્પ્લે બોર્ડ રાખી કરવાની રહેશે તેમજ જાહેરનામાના ચુસ્ત અમલ માટે સબંધિત રસ્તાઓ પર હાજર રહી અમલ કરાવવાનો રહેશે.
આજરોજ તા.83/૦૮/૨૦૨૫ ના સહી તથા સિક્કો કરી આ જાહેરનામું બહાર પાડયુ.