મનફરામાં પાંજરાપોળમાંથી રૂા. 80,000ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ મનફરામાં પાંજરાપોળમાંથી રૂા. 80,000ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 7/8 અને 8/8ની રાતના સમયે ભચાઉ તાલુકામાં આવેલ મનફરા ગામમાં આવેલી પાંજરાપોળમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ સમય દરમ્યાન તસ્કરો અહી ત્રાટક્યા હતા અને અહીથી 300 ફૂટ વાયર કાપી અને રૂા. 80,000ની આ મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા ચોરી ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.