ગત દિવસે ભારે વરસાદને લીધે ટાવર રણ સમુદ્ર માં પડી જતાં રાતોરત ફોલ્ટ શોધવા ની કામગીરી કરાવાઈ

૮.૯.૨૫ના રોજ કચ્છ માં ભારે વરસાદને લીધે સરહદી વિસ્તાર ની આઉટ પોસ્ટ માં ફરજો બજાવતા જવાનો ને વીજપુરવઠો પૂરો પાડતી ધોરી નસ સમાન ૬૬ કેવી ખાવડા થી ભેડિયાબેટ તરફ જતી વીજ ટાવર લાઈન ધર્મશાળા પાસે ક્ષતિગ્રસ્ત થયેલ હતી. આ લાઈન નો કંડકટર ટાવર નં ૧૩૨ પરથી રણ સમુદ્ર માં પડી ગયેલ હતો.
જેટકો ના કાર્ય પાલક ઇજનેર ભુજ શ્રી અંતાણી એ સ્ટાફ ને ભુજ થી રવાના કરી રાતોરત ફોલ્ટ શોધવા ની કામગીરી કરાવી હતી અને યુદ્ધ ના ધોરણે વીજપુરવઠો શરુ કરાવ્યો હતો.
આ કામગીરી માં જેટકો ના જુનિયર ઇજનેર તથા લાઈન સ્ટાફ જોડાયા હતા.