અંજારના સિનુગ્રા નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 64 વર્ષીય વૃદ્ધનું મોત

copy image

અંજાર ખાતે આવેલ સિનુગ્રા નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 64 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સિનુગ્રા ગામમાં રહેનાર વૃદ્ધ એવા ભરતભાઇ રાઠોડ બપોરના અરસામાં પોતાનો રિક્ષા લઈ જઈ રહ્યા હતા તે સમયે મોટી કારના ચાલકે છકડાને સામેથી હડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બાનવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.