સતાપર રોડ માધવ વિલા નજીક છકડા અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાને જીવ ખોયો

copy image

અંજાર નજીક સતાપર રોડ માધવ વિલા નજીક રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર નજીક સતાપર રોડ માધવ વિલા નજીક ગત દિવસે બપોરના અરસામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. વેલસ્પન કંપનીમાં કામ કરનાર સત્યપ્રકાશ નામનો યુવાન બપોરના સમયે બાઈક લઈને જઈ રહ્યો હતો તે સમયે છોટાહાથી છકડાના ચાલકે તેને હડફેટમાં લેતાં બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.