આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે “રાધે રાસ ”


આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે “રાધે રાસ ” , એક અનોખો ગરબાનો ઉત્સવ, જ્યાં ભક્તિ, પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે. પ્રેમ, આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે, દરેક ઢોલના તાલે રાધા-કૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રાસલીલા ફરી જીવી ઊઠશે. રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર એમ 10 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રિ- ગરબા ઇવેન્ટમાં આરજે દિપાલી અને સિદસાબ, રાધે ઈવેન્ટ્સના ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈ એ માહિતી આપી હતી.
આ વર્ષની નવરાત્રીમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સૂર પર ગરબાના તાલે ઝૂમશે. લોકપ્રિય ગાયિકા ઇશાની દવે, લોકફ્યૂઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે. રાધે ઈવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર “શિવ શક્તિ થીમ” સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉજ્જૈનથી આવેલા 30 કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ અને આરતીનો અનોખો અનુભવ કરાવશે. સાથે જ, જાગરણ મંડળીમાં અવ્વ્લ કક્ષાના સિંગર નરેશ બારોટ પણ પરફોર્મન્સ આપશે.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.