લખપત-કોટેશ્વર રસ્તા પરના કનોજ મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે લખપત-કોટેશ્વર રસ્તાના કી.મી.૩૧/૪૦૦ થી ૩૧/૬૦૦ વચ્ચે આવેલ કનોજ મેજર બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થયેલ. રજૂ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજની કચેરીના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, નખત્રાણાની કચેરીના વંચાણ-જવાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થયેલ હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર પાડવા વંચાણ-ક વાળી દરખાસ્ત રજૂ થયેલ છે જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તા.૧૭/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળા માટે લખપત-કોટેશ્વર રસ્તાના કી.મી.૩૧/૪૦૦ થી ૩૧/૬૦૦ વચ્ચે આવેલ કનોજ મેજર બ્રીજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં, જયારે પાન્ધ્રો વર્માનગર તરફથી લખપત ત્રણ રસ્તા થઈ નારાયણ સરોવર બાજુ આવતા ભારે વાહનો વર્માનગર – સોનલનગર – બાલાપર નરેડી-ગોધાતડ ફાટક – કાટીયા -બુધ્ધા માર્ગથી નલિયા નારાયણ સરોવર નેશનલ હાઈવે મારફતેથી નલિયા-નારાયણ સરોવર રસ્તા પરથી અવર-જવર કરી શકશે. માતાના મઢ, દયાપર તરફથી આવતા ભારે વાહનો દોલતપર ત્રણ રસ્તાથી બરંદા થઈ નલિયા-નારાયણ સરોવર નેશનલ હાઈવે પરથી અવર-જવર કરી શકશે. બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરેલ છે.

અંજના ભટ્ટી