રાપરના પલાંસવામાં રહેનાર 22 વર્ષીય યુવાને દવા પી જઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

રાપરના પલાંસવામાં રહેનાર 22 વર્ષીય યુવાને ખેતરમાં દવા પી જઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.3/11ના રોજ સવારના સમયે પલાંસવામાં વાડી વિસ્તારમાં  હતભાગી વનરાજાસિંહ ગજુભા વાઘેલાએ કોઈ અકળ કારણોસર દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.