માંડવીમાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

copy image

copy image

 માંડવીમાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના નાગલપુર રોડ પર હનુમાનજી મંદિરની બાજુમાં રહેનાર એવો શ્રવણ રામજી વાઘેલા નામનો યુવાન ગત દિવસે સવારના અરસામાં પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર રૂમમાં લોખંડની ચેનલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.