અંજારના રાઘવનગરમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

અંજાર તાલુકાના દબડા-રાઘવનગર વિસ્તારમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના રાઘવનગરમાં રહેનાર શ્રુતિ ગત રવિવારના સવારના સમયે પોતાના ઘરે હતી તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તેને કેવા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ આદરી છે.