આદિપુરમાં ઘરના પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો

copy image

copy image

આદિપુરમાં ઘરના પાણીના ટાંકામાં પડી જવાના કારણે વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના ટી.ડી.એક્સ. વિસ્તારમાં રહેનાર 65 વર્ષીય તેજભારતી જેરામભારતી ગોસ્વામીએ બનાવમાં જીવ ગુમાવ્યો છે. તા. 9/11ના સાંજના અરસામાં હતભાગી પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ કારણે ઘરમાં પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.