વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાઓને સમથળ કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી

photo-10

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર કમોસમી વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે શહેરોમાં તંત્ર દ્વારા રોડ-રસ્તાની રીસર્ફેસીંગ અને સમારકામ કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાની માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભુજ દ્વારા તાત્કાલિક રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાહનોની અવર જવરમાં કોઇ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવા અને નાગરિકોને સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.