નગરપાલિકાઓના અધિકૃત વિસ્‍તાર સિવાયના  વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત કરેલ સ્થળો સિવાયના કોઈપણ સ્થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાંના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૨ની કલમ ૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં જાહેરનામાના પાલન કરાવવાના અને તપાસના અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું આ હુકમ સંમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૭/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.