રામવાવમાં 35 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

રાપર તાલુકાનાં રામવાવમાં 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, લોઢાત્રાવાળી વિસ્તારમાં ગણપતનાથ બાવાજી નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. લોઢાત્રાવાળી વિસ્તારમાં પોતાની નાની મઢીમાં રહેતા ગણપતનાથ બાવાજી એકલા રહેતા હતા. હતભાગીએ બે દિવસ પૂર્વે લાકડાના થાંભલામાં દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.