બીમારીથી કંટાળીલી મહિલાએ મીરજાપરમાં ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો

મીરજાપરના યક્ષનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાએ માનસિક બીમારીથી કંટાળેલી ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ગુમાવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આત્મ હત્યાના આ બનાવને રવિવાર બપોરે દોઢ વાગ્યાના અરસામાં અંજાર અપાયો હતો. મીરજાપરમાં રહેતા ચંદ્રિકાબેન નારાણ વાળંદે પોતાના ઘરે પંખામાં કપડું બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલ ખસેડાયેલ આ મહિલાને તબીબોએ મૃત જાહેર કરી હતી. પ્રાથમિકમાં તારણમાં હતભાગી મહિલાના પુત્રે એવું લખાવ્યું છે કે તેની માતા અસ્થિર મગજની હોતા તે માનસિક બીમારીથી પીડાતી હતી. આ રોગમાં તેને કોઈ રાહત ન મળતાં તેણે આ અંતિમ પગલું ભરી લીધાનું જણાવ્યુ છે. એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *