ભચાઉ મુકામે શ્રી નવજીવન વિકલાંગ  સેવાશ્રય સંચાલિત વિવિધ એકમો દ્વારા ઉમંગ મહોત્સવ વાર્ષિક- ઉત્સવ  2025 ઉજવાયો

ભચાઉ મુકામે શ્રી  નવજીવન વિકલાંગ  સેવાશ્રય સંચાલિત વિવિધ એકમો દ્વારા ઉમંગ મહોત્સવ વાર્ષિક- ઉત્સવ  2025  યોજવામાં આવ્યો હતો.  જેમાં પી. બી.  પરમશાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભચાઉ અને નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળા,  માતૃશ્રી ભમીબેન પ્રેમજી પુંજાભાઈ નિશર માધ્યમિક શાળા અને એમ. ટી. પટેલ પ્રાથમિક શાળા અને કિલકિલાટ મંધબુદ્ધિ બાળકો ની શાળા-હળવદ દ્વારા બાળકો દ્વારા દેશ ભક્તિના ગીતો, રાષ્ટ્ર હિતની વાતો, નારી શક્તિ, પ્રાચીન પ્રસંગો, મોબાઈલનું વધતું દૂષણ અને ટ્રાફિકને સંગલન સુરક્ષા જેવી અનેક વિવિધ પ્રકારની લોક સમાજના હિતની પ્રવૃતિઓ અને નૃત્ય રજૂ કરીને શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા લોકોને સરસ સંદેશ આપવામાં આવ્યો હતો.  આ પ્રસંગે રાજકોટ આધ્યાત્મિક યોગી પરમ પૂજ્ય ૐ કારા સરકાર ૐ દાદા તેમજ જન સંઘ R.S.S. ના સંપૂર્ણ કાલીન સેવક હસુભાઈ દવે,  ભારતીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ મુરલીભાઈ દવે (રાજકોટ), ભુજ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી પુરુષોત્તમ મગનલાલ મારવાડા તેમજ ભચાઉના જાણીતા આગેવાનો અને સમાજ સેવકો પાલુભા ગઢવી ભજનાનંદી ( આરતી ઇન્ડસ્ટ્રીઝ ભચાઉ) તેમજ શ્રી સુશીલ કુમાર ઓઝા DGM HR એડમીન- ગેલેન્ટ ઇન્ડિયા તેમજ ગાંધીનગર થી શ્રી પ્રકાશભાઈ બારોટ તંત્રી શ્રી ધરતીના લાલ દૈનિક ન્યૂઝ,  ભચાઉ શહેરના નગર શેઠ ડૉ. લખમશી ખાંખણ નંદુ તથા ભુજ લાયનસ કલબના ડિસ્ટ્રીક ગવર્નર એમ. જે.  લાયન અભયભાઈ શાહ તેમજ S.R.P. કેમ્પ ભચાઉના D.Y.S.P. સિંધી સાહેબ જેવા અનેક અગ્રણીય લોકો ને બાળકોનો ઉત્સાહ પૂરો પાડવા રંગમંચ ને સુશોભિત કરવા હાજરી આપી હતી.  તેમજ અન્ય હાજર નહીં રહેલ મહેમાન શ્રીઓ ઈ-સંદેશના માધ્યમથી પણ શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સંસ્થા માનદમંત્રીશ્રી જીતુભાઈ જોષી દ્વારા કહેવાયું કે ભારત-ભૂમિએ વિશ્વને પરિવાર માનનારી ભૂમિ છે ત્યારે આજના વિકસિત ભારતમાં નાત-જાત ઉપર ઊઠીને સમગ્ર ભારત અને એની પ્રજાના જન સુશક્તિબની તેમનામાં રહેલી શક્તિ રાષ્ટ્ર હિતાર્થમાં કામ આવે તે પ્રકારની માનસિકતા આજના સમાજના લોકો એ કેળવવી તે અનિવાર્ય છે જ્યારે આપણે આપણા દેશને પ્રેમ કરતા હોઈએ ત્યારે તે બાબત માત્ર વાર્તા પૂરતી નહીં પરંતુ સાચા અર્થમાં જ્યાં જરૂર છે તેજ જે પ્રકારની જરૂર છે તે પ્રકારે સામાજિક સંસ્થાઓ ને મદદરૂપ થવા કટીબધ્ધ થવું જોઈએ. આ પ્રસંગે ૐ દાદા દ્વારા સંસ્થા નો વિકાસ અવિરત થતો રહે અને આ સંસ્થાના માધ્યમ થી અનેક જીવોનું કલ્યાણ થાવુ જોઈએ એવી ભાવના વ્યક્ત કરી મંચસ્થ સૌ કોઇએ શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના બાળકો દ્વારા રજૂ કરેલ કાર્યક્રમને નિહાળી દાતાશ્રીઓ સહયોગ આપવાનું ભૂલ્યા નહીં તેવા જ દાનવીર પાલુભા ગઢવી દ્વારા સંસ્થાને ₹2,51,000 તેમજ મુંબઈ સ્થિત રક્ષા પ્રવીણ ગોકુળ (છાડવા ગામ) સામખીયાળી દ્વારા 2,51,000ની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ નવીનભાઈ રાયસી ગાલા દ્વારા ગરમ પાણી નું મશીન આપવા જણાવેલ હતું તેમજ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ભુજ દ્વારા એક આરો પ્લાન્ટ તેમજ 25 ગાદલા આપવાનો યોગદાન કર્યું હતું.  આમ વિવિધ  કંપનીઓને દાતાઓ ના સહયોગથી સંસ્થાને ખૂબ સારું એવું દાન પ્રાપ્ત થયું હતું આ પ્રસંગે સ્થાનિક સમિતિના સભ્યશ્રી ડૉ. ધર્મેન્દ્રભાઈ, યુધિષ્ઠીરભાઈ મહેશ્વરી, હરેશભાઈ દરજી ,જયેન્દ્રભાઈ શાહ ,નિલેશભાઈ ચાવડા, ઈશ્વરભાઈ ઓઝા, વિશાલભાઈ જોશી, મનોજભાઈ શ્રીમાળી, નાનજીભાઈ ગોહિલ ,દેવજીભાઈ ધેડા, શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંચાલિત M.B.P.P.N માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી રમેશભાઈ ચૌધરી તેમજ તેમજ પી. બી. ગડા પરમશાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ જ્યોત્સના બેન રબારી તથા મયુરભાઈ પંડ્યા,  હર્ષદભાઈ પરમાર અને તમામ શાળાના કર્મચારીગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી…