સુરતના લીબાયતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ યુવકની હત્યા
સુરતના લીબાયતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ એક યુવકની જાહેરમાંહત્યા કરીને બે આરોપીઓ ફરાર થઇ ગયા છે લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતર મોડી સાંજે એક યુવકની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે
બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો . મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો . તેવા વહેમના આધારે હત્યા કરવામાં આવી છે . હાલમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી . છે
મળતી માહિતી મુજબ લીંબાયત લિંબાયત વિસ્તારમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા હાલ કોઈ કામ ધંધો કરતો નથી . તે ઘણી વખત પોલીસને બાતમી આપે છે . તેવો વહેમ રાખી સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો . ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા . ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો .
હત્યાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી ત્યારે હુમલાખોરો ભાગી ગયા છે . પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે