માંડવીમાં શ્રમિક પરીવારની સગીરા સાથે દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી
copy image

માંડવીના કોઈ ગામના વાડીવિસ્તારમાં રાજ્ય બહારના શ્રમિક પરીવારની સગીરા સાથે દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા. 28/12 અને 20/1ના આ બનાવ બન્યો હતો. જે અંગે ભોગ બનનારના વાલીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી ઈશમે ફરિયાદીની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.