સામખિયાળીની હોટેલમાં જમ્યા બાદ ઢળી પડતાંની સાથે જ યુવાનનું મોત
copy image

સામખિયાળીની હોટેલમાં જમ્યા બાદ ઢળી પડતાં અરવિંદસિંઘ દલવીરસિંઘનું મોત થયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે સામખિયાળીમાં ચામુંડા હોટેલ નજીક સાંઇધામ મંદિર પાસે બનેલ આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે, જે અનુસાર રાજવી લોજિસ્ટિકમાં કામ કરનાર 35 વર્ષીય અરવિંદસિંઘ નામનો યુવાન હોટેલમાં જમવા માટે ગયેલ હતો. જમી લીધા બાદ અચાનક ઢળી પડતાં આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તજવીજ હાથ ધરી છે.