અંજારમાં રહેણાક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
copy image

અંજારમાં રહેણાક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારમાં નવી આરટીઓ ઓફિસની નજીક વરસામેડી રોડ નજીકના એક મકાનમાં આ ઘટના બની હતી. અહી રહેનાર પ્રભુલાલ છગનલાલ ડોડિયા નામના આધેડ પોતાના ઘરે હાજર હતા તે સમયે ઉપરના રૂમમાંથી ધુમાડા નીકળતાં તપાસ કરવામાં આવતા ફ્રીઝમાં આગ ઉઠી હતી. અમુક ક્ષણોમાં જ આ આગ બેકાબૂ બની જતાં સમગ્ર ઘરમાં ફેલાઈ હતી. બનાવને પગલે અગ્નિશમન દળને જાણ કરતાં તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.