સુરતના મંદિરમાં ચોરી કરતા પહેલા ચોર માતાજીના પગે પડ્યો, પછી દાનપેટી લઈને ફરાર

copy image

copy image

સુરતના મંદિરમાં ચોરી કરતા પહેલા ચોર માતાજીના પગે પડી શીશ નમાવ્યા બાદ દાનપેટી લઈને ફરાર. મળેલ માહિતી અનુસાર, એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશી પહેલા માતાજીની મૂર્તિ સામે અત્યંત શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવ્યું જાણે માતાજી પાસે પોતાના પાપની માફી માંગતો હતો કે પછી તેની ચોરી ના સફળતાના આશીર્વાદ! આ ‘ભક્તિ’ બાદ તેણે આસપાસ તલાસી કરી મોકો મળતા જ આખી દાનપેટી ઉઠાવીને ત્યાથી નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગેની પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.