પાકિસ્તાનમાં આતંકી હુમલો : ૧૧ ના મૌત
ઉત્તરપશ્ચિમ બાજૌર ક્ષેત્રમાં થયેલા આતંકવાદી હુમલામાં અગિયાર સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા : મહિલાઓ અને બાળકો સહિત સાત અન્ય ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં એક સંયુક્ત સુરક્ષા ચોકીને નિશાન બનાવી
હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ચોકીની દિવાલ સાથે અથડાતા ઇમારત તૂટી પડી અને 11 સુરક્ષા કર્મચારીઓ મૃત્યુ પામ્યા
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે નજીકના ઘરોને ભારે નુકસાન થયું હતું, જેમાં એક નિર્દોષ બાળકીનું મોત: અને મહિલાઓ અને બાળકો સહિત સાત અન્ય ઘાયલ