લાખણીયા અને જતવાઢ ગામમાં અવાદા ફાઉન્ડેશન દ્વારા સગર્ભા માતાઓ અને ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

અવાદા ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી રીતુ પટવારીજીના માર્ગદર્શન હેઠળ અવાદા ફાઉન્ડેશન લાખણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, નલિયા તાલુકા હેલ્થ ઓફિસ, તેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તમામ ગ્રામજનોના સહયોગથી પોષણ કીટનું વિતરણ થયું. કાર્યક્રમ દરમિયાન પોષણનું મહત્વ અને જરૂરી સંભાળ વિશેની માહિતી આપવામાં આવી.