કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ગામ પાસેથી 30થી 3પ વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી

જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી નજીક ચેરાવાળીવાંઢ ગામ બાજુ દરિયાની ખાડીના કિનારેથી 30થી 3પ વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.ચેરાવાળીવાંઢ ગામથી પાંચસો મીટર પૂર્વ તરફ દરિયાની ખાડીના કિનારે એક કોથળામાંથી 30થી 3પ વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આજે અહીં નાના બાળકો રમતા હતા ત્યારે તેમની નજર આ કોથળા ઉપર પડી હતી. જેમાં મહિલાની લાશ જણાતાં સરપંચને જાણ કરાઈ હતી. ગામના આ અગ્રણીએ પોલીસને જાણ કરી હતી. કોથળામાંથી મળી આવેલી આ મહિલાની લાશને લાકડિયા સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ફુલાઈ ગયેલી આ મહિલાની લાશને જોતાં તેમના માથામાં કોઈ પદાર્થ?વડે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું તેવું પોલીસે જણાવ્યું હતું. આ મહિલાના હાથમાં છુંદણા (ટેટૂ) ત્રોફાવેલ છે. લીલા રંગનું બ્લાઉઝ અને ચણીયો પહેરેલી આ મહિલાની લાશનું પીએમ કરાવવા જામગર ખાતે મોકલવામાં આવી હતી. આ મહિલા કોણ છે તેની આગળની તપાસ સામખિયાળી પોલીસે હાથ ધરી છે. કોથળામાંથી હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *