ભારતીય નૌકાદળની બહાદુરી: જીવંત મિસાઈલ દૂર કરી બચાવ્યું ક્રૂડ ઓઇલ ટેન્કર

copy image

copy image

ભારતીય નૌકાદળે સંયુક્ત UAEના ફુજૈરાહથી કોચી જઈ રહેલા તેલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે દૂર કરીને મોટી દરિયાઈ દુર્ઘટના ટાળી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, 26 મેના રોજ ઓમાનના દરિયાકાંઠે MT ઓલિમ્પિક તેલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. અત્યંત ખતરનાક પરિસ્થિતિઓમાં ભારતીય નૌકાદળે એક ઉચ્ચ-જોખમી કામગીરી હાથ ધરી માત્ર વોરહેડ જ નહીં, પણ તેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય પણ કર્યો. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને ટેન્કરની વિગતો અને ફોટા જાહેર કર્યા હતા. PIBના અહેવાલ મુજબ, માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવંદન કરાયેલુ ક્રૂડ ઓઇલ ટેન્કર ‘MT ઓલિમ્પિક લાઇફ’ સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ બંદરથી કોચી તરફ જઈ રહ્યું હતું. જોકે, 26 મે, 2026ના રોજ ઓમાનના દરિયાકાંઠે જહાજમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, મિસાઇલ અથવા પ્રોજેક્ટઈલનું વોરહેડ જહાજના બાહ્ય ભાગમાં ઘૂસી ગયું અને તેના આંતરિક ભાગમાં પહોંચ્યું હતું. સદનસીબે તેનાથી વિસ્ફોટ થયો ન હતો