અંજારના વરસામેડીમાં સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

અંજાર તાલુકાના વરસામેડી ખાતે સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વરસામેડીમાં ગત 15 તારીખે રાતના સમયે સુમન રાજુભાઈ દેવીપૂજક નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. સગીરાએ કયા કારણોસર આ પગલું ભર્યું હસે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.