અંજાર વિસ્તારમાંથી જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા

પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ડી.બી.વાઘેલા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામના નાઓએ જુગારની બદ્દી નેસ્ત નાબુદ થાય તે માટે સુચના આપેલ જેથી અંજાર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબના માર્ગદર્શન તળે પોલીસ ઇન્સ.શ્રી બી.આર.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વર્ષામેડી ગામમાં રામ મંદિર પાસે ખુલ્લામાં અમુક ઈસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે તેવી હકિક્ત આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૨૫,૧૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૦૬ કિ.રૂ. ૧૬,૫૦૦/૦૦ તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ એમ મળી કુલે કિ.રૂ. ૪૧,૬૦૦/૦૦ નાં મુદામાલ સાથે જુગાર રમતા નીચે મુજબ ના આરોપીઓને પકડી પાડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ (૧) નરશીભાઇ ગોવિંદભાઇ સથવારા ઉ.વ.૨૬ રહે.તલાવડી ફળીયુ માધવ વિલાની બાજુ માં સત્તાપર રોડ તા.અંજાર(૨) લખુભાઇ રૂડાભાઇ હુંબલ ઉ.વ.૩૬રહે.સ્વાધયાયધામ મ.નં.૬ બસ સ્ટેશન પાસે વર્ષામેડી તા.અંજાર(૩) ભરતભાઇ ધનજીભાઇ મણવર ઉ.વ.૩૦રહે.આંબેડકરનગર વર્ષામેડી તા.અંજાર(૪) ફકિરમામદ જુસબભાઇ શેખ ઉ.વ.૪૫રહે. નવાનગર જી.આઇ.ડી.સી.સામે,અંજાર(૫) ધનજીભાઇ વાલજીભાઇ શેખવા ઉ.વ.૨૩ રહે. આંબેડકરનગર વર્ષામેડ તા.અંજાર(૬) ભરતભાઇ ગોવિંદભાઇ સથવારા ઉ.વ.૪૦ રહે.હનુમાનનગરી સામે કળશ સર્કલ અંજાર(૭) પ્રતાપભાઇ ભીખુભાઇ સથવારા ઉ.વ.૨૬ રહે. હનુમાનનગરી સામે કળશ સર્કલ અંજાર(૮) શંભુભાઇ મ્યાજરભાઇ વરાયા(આહિર)ઉ.વ.૩૭ રહે. વરાયા ફળીયુ વર્ષામેડી તા.અંજાર(૯) ઇસ્માઇલભાઇ ઇશાકભાઇ સૂંઢા ઉ.વ.૫૦ રહે. ડેલી ફળીયું મીઠ્ઠી રોહર તા.ગાંધીધામ (૧૦) હનીફભાઇ હાસમભાઇ ખોડ ઉ.વ.૩૬ રહે. ખોડિયારનગર – સરકારી શાળા ની બાજુમાં ગાંધીધામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *