ખારીરોહરના ઝુલુસમાં હત્યા કરનાર ફરાર આરોપી ઝડપાયો

ગાંધીધામના ખારીરોહરમાં હત્યાના બનાવના આરોપીને બોર્ડર રેન્જ આર.આર.સેલે કંડલા ખાતેથી પકડી બી-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો. મોહરમના પર્વ નિમિતે ગાંધીધામના ખારીરોહર ગામે શહાદતની રાત્રે વાગ્યાના અરસામાં ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુ. જેમાં સામેલ થવા આવેલા રીટાર્યડ કેપીટી 60 વર્ષીય હુસૈન મામદ જંગીયાની ગુપ્તીના ઘા મારી હત્યા કરાઇ હતીે. આ ગુનામાં ફરાર આરોપી ઇબ્રાહિમ ઉર્ફે અભુ સિધીક પઠાણને બાતમીના આધારે મીઠાપોર્ટ કંડલા ખાતેથી પકડી લઇ બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઇ હડિયા સાથે એએસઆઇ પરિક્ષિતસિંહ જાડેજા, દિલિપસિંહ જાડેજા, કોન્સટેબલ જયદિપસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઇ હતી.