અંજારમાં 1.ર9 લાખની ચોરી

પૂર્વ કચ્છમાં તસ્કરોનો રીતસર ધમરોળી રહ્યા છે અને કાયદાના રક્ષકો મુક પ્રેક્ષક બની રહ્યા છે અંજારમાં મધુબન પાર્ક સોસાયટી ના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના તાળા તોડી ૧.૨૯ લાખ ની માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા અંજાર પોલીસે જણાવ્યું હતું કે શહેરના મધુબન પાર્ક સોસાયટી મુસ્લિમ સમાજ વાડી પાસે મકાન નંબર ૭૫ માં રહેતા મોહશીન દાઉદ ભાઈ મુસ્લિમ ઉંમર વર્ષ ૩૨ ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરનું તાળું તોડી દિવાલમાં લાગેલ ફર્નિચરના કબાટમાં થી સોના ચાંદીના આભૂષણો રોકડા રૂપિયા ૧૭૦૦૦ સહિત કુલ રૂપિયા ૧૨૯૮૦૦ માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા મકાન માલિક અજમેર ગયા હતા અને પાછળથી તસ્કરો એ ઘરને નિશાન બનાવીને સોનાની ચેન સોનાની બુટ્ટી સોનાની વિટી ચાંદીના પાયલ ચાંદીના સિક્કા સહિતની માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા મકાનમાલિકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે