વરસામેડી માથી સગીરાનું અપહરણ

અંજાર તાલુકાના વરસામેડી માં આવેલી કંપનીની કોલોનીમાંથી ૧૨ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ જનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વરસામેડી સીમ વેલસ્પન કોલોનીના પતરા ની ઓરડી માં રહેતી ૧૨ વર્ષીય સગીરાને નંદુ ભુવાન નામનો શખ્સ લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો છે આ અંગે ભોગ બનનારની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તેં સખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે