ગળપાદરમાં દીકરીની હત્યા કરનાર માતા-પિતા અને ભાઇ જેલ હવાલે

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગલપાદર ગુજરાત હાઉસિંગ બોર્ડ કૈલાસ સોસાયટીમાં રહેતા ભારતીબેન રમેશ રાજગોર ને મનોજ વાઘેલા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય ભારતીબેન તેમની સાથે જ લગ્ન કરવા માગતા હતા આ મામલે ભારતીબેન ને તેના પિતા રમેશ નારાયણ રાજગોર તેની માતા રસમી રમેશ રાજગોર અને તેનો ભાઇ મનીશ રમેશ રાજગોર વારંવાર બોલાચાલી થતી હતી દરમિયાન તારીખ 28 2 2020 ના રાત્રિના આ મામલામાં માથાકૂટ થતા આરોપી પિતા રમેશ માતા રશ્મિ  અને ભાઈ મનીષે માથાકૂટ કયર્િ બાદ ભારતીબેન ને ઓશિકા  ગળું દબાવી તેની હત્યા કરીને આ બનાવ આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકાવીને ફોટા પાડવામાં આવ્યા હતા સરકારી હોસ્પિટલ  પોલીસને જાણ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને માતા-પિતા અને એના ભાઈ ની પૂછપરછ કરતા તેમણે તેમની દીકરી ભારતીયની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કયર્િ બાદ ત્રણેય ને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે