ગાંધીધામ લાકડીયા રેલવે સ્ટેશન નજીક રવિવારે બપોરના અરસામાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ખડી પડતાં પ્રશાસનમાં દોડધામ મચી ગઇ હતી જોકે હાલમાં આ ટ્રેક પર કામગીરી ચાલતી હોય મુસાફર ટ્રેન બંધ હોવાના કારણે મુસાફર ટ્રેનોને કોઈ અસર પડી ન હતી તો રેલવે પ્રસાશન દ્વારા મરામતની કામગીરી કરી ફરીથી આ ટ્રેકને કાર્યિન્વિત કર્યો હતોરેલવે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મુંદ્રા પોર્ટ પરથી જતી ટ્રેન લાકડીયા રેલવે સ્ટેશન પ્રવેશ્યા બાદ બપોરના અરસામાં આ માલગાડી અને બે કન્ટેનર વેગન ટ્રેક પરથી ઉતરી ગયા હતા આ અકસ્માતના પગલે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક કામગીરી કરી લેવામાં આવતા ફરીથી આ ટ્રેક કાર્યિન્વિત બન્યો હતો.