અંજાર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન બંધ રહેલ/ચાર્જમાં આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે બિટાવલાડીયા ઉ, બિટાવલાડીયા આ, અંજાર-૧૬, દુધઇ વાડી, જુના મોડસર, નવી ચાંદ્રાણી, ખારા પસવાડીયા, મોડવદર, અંજાર-૪, કોરારવાંઢ, ઈન્દ્રાનગર કોટડા, નાના ખીરસરા, હાલેપોત્રાવાંઢ, તુંણાવાડી કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા માટે તદન હંગામી ધોરણે ઉચ્ચક અકીલા માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરી, અંજાર ખાતેથી મેળવી લેવાનું રહેશે. તા.૨૦/૩/૨૦૨૦ બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. વધુ વિગતો માટે મામલતદાર, અંજારનો સંપર્ક સાધવા જણાવાયું છે. ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરવી ભુજઃ જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના ઘટકોમાં સહાયનો લાભ લઇ શકે તે માટે આગામી તા.૧લી માર્ચ-૨૦૨૦ થી ૩૦મી એપ્રિલ-૨૦૨૦ સુધી આઇ ખેડૂત પોર્ટલ વેબ ખુલ્લું મૂકવામાં આવશે. જેનો લાભ લેવા માટે ખેડૂતો બે માસની અંદર ઓનલાઇન અરજી કરી શકશે. આ વેબમાં અનેક પ્રકારની યોજનાઓની માહિતી અરજદારોને મળી રહેશે. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના વિવિધ ઘટકોમાં સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ લેવા ઈચ્છતા કચ્છ જિલ્લાના ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના વી.સી.ઈ. મારફત અથવા ઈન્ટરનેટ મારફતે આઇ ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરનાર ખેડૂતોએ સહી કરેલા અરજીપત્રક સાથે ઓનલાઇન અરજીની પ્રિન્ટ આઉટ, ૭/૧૨ નકલ, ૮-અ ની નકલ, આધાર કાર્ડ તથા આધાર કાર્ડ સાથે લિંક હોય તેવા પોતાના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક સહિતના જરૂરી દસ્તાવેજો સત્વરે ગ્રામ સેવક અથવા જે તે તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી) ની કચેરીને સાધનિક કાગળો સહિત અરજી કરવાની રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી, જિ.પં.ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.