ભુજ તાલુકાનાં કેરા-નારાણપર ગામ વચ્ચે ના રસ્તા ઉપર બનતો પુલ છેલ્લા 2 મહિનાથી બંધ અને કામ અધૂરા છોડાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પુલિયાનું નું કામકાજ શરૂ કર્યા બાદ અધુરું છોડી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અહીં અધુરા છોડી દેવામાં આવ્યા હોઈ લોકોને ભારે અગવડતાનો સામનો કરવાનો વખત આવ્યો છે.પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભુજ તાલુકાના નારાણપર ગામ અને કેરા વચ્ચે પુલિયો બનવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે હવે છેલ્લા ૨ મહિનાથી કામ બંધ હાલત માં જોવા મળી રહ્યું છે જેથી હાલ પુલિયાનું કામકાજ અટકી જતાં અહીંથી પસાર થવામાં ગ્રામજનોને પણ ભારે હાલાકી ભોગવવાના વખત આવ્યો છે.લાંબા સમયથી પુલિયાના ના કામકાજ વિલંબમાં હોવાથી અહીંથી પસાર થવુ મુશ્કેલ બન્યું છે વિદ્યાર્થીઓ સહિત વયસ્યકો અને ગ્રામજનો માટે મુસીબત સમાન બની રહ્યાં છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું નું કામકાજ પૂર્ણ કરી ગ્રામજનોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.