કચ્છ કોરોના ઇફેકટ : કંડલા, મુંદ્રા બંદરે ૨૪ જહાજના ૫૫૩ ક્રુની તપાસ : ભુજમાં શંકાસ્પદ બે દર્દીઓ

દુનિયાભરમાં કોરોના એ મચાવેલા હડકંપની અસર છેક કચ્છ સુધી અનુભવાઈ રહી છે. ભુજમાં ગઈકાલે દુબઈ ફરવા ગયા બાદ પરત કચ્છ આવેલા યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. દરમ્યાન આ કફ, શ્વાસ અને તાવથી પીડાતા આ દર્દીએ ગઈકાલે ભુજમાં ખાનગી એકસ રે કિલનિકમાં પોતાને ન્યુમોનિયાની અકિલા અસર હોઈ ડિજિટલ એકસ રે કઢાવ્યા બાદ તે સારવાર માટે દાખલ થયો હતો. જોકે, કચ્છ જિલ્લા આરોગ્યતંત્ર એ સ્પષ્ટતા કરી છે કે, દર્દીઓના રિપોર્ટ રાજયસરકારે સત્તાવાર રીતે નિયત કરેલ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદમાં અકીલા મોકલવામાં આવે છે. જેના આધારે જ દર્દીને કોરોના ની અસર છે કે નહીં તે કહી શકાય. દરમ્યાન યુગાન્ડાથી પરત ફરેલા એક કચ્છવાસીને પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તે પણ ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ છે. જોકે,ઙ્ગ સત્તાવાર રીતે આરોગ્યતંત્ર એ યુગાન્ડા ના દર્દી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પણ અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે. જોકે, કચ્છમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કોરોના સામે એલર્ટ છે. કંડલા અને મુન્દ્રા બન્ને પોર્ટ ઉપર કોરોના સામે એલર્ટની એડવાઇઝરી બાદ અત્યાર સુધી ચાઈના, ઈરાન, સિંગાપોર સહિત અન્ય દેશોના ૨૪ જહાજોના ૫૫૩ જેટલા ક્રુ મેમ્બરોનું સ્ક્રીનીંગ કરાયું છે. જોકે, આ પૈકી કોઈને પણ કોરાનાના લક્ષણો જોવા મળ્યા નથી. પોર્ટ ઉપર લાંગરેલા જહાજના ક્રુ મેમ્બર્સને માસ્કનો ઉપયોગ કરવા કહેવાય છે.