અંજારની ભાગોળે કપાસના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ

પુર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી માર્ગ પર આવેલા કપાસના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડાધામ મચી જવા પામી છે.આજે રાત્રિ દરમિયાન કપાસના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનતા અહીં કામ કરતા શ્રમજીવીઓ બહાર દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ નગરપાલીકાના ફાયર ફાઈટર તેમજ આસપાસમાં આવેલી કંપનીની ફાયર ફાઈટરની ટીમને બોલાવવામાં આવી હતી. સૃથળ પર ટીમ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ સમગ્ર બનાવમાં કપાસ આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યો છે. જો કે, કોઈ જાનહાની થવા પામી હતી. આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ખડો થવા પામ્યો હતો. બનાવને લઈને વીજ કંપનીએ લાઈટો બંધી કરી દીધી છે.