કચ્છમાં કોરોનાને અટકાવવા કવોરોન્ટાઇન સુવિધા શરૃ કરાઈ

કોરોનાને અટકાવવા તાથા તકેદારીના ભાગરૃપે કચ્છમાં પણ તંત્ર દ્વારા કવોરોન્ટાઇન ફેસીલીટી શરૃ કરવામાં આવી છે.વહીવટીતંત્ર દ્વારા લોકોને અનુરોધ કરાયો હતો કે, સોશિયલ મીડીયા પર કોરોના વાયરસના વિવિાધ મેસેજ, વીડીયો વગેરે અન્ય વ્યકિતઓને ફોરવર્ડ ના કરી જવાબદાર નાગરિક બનીને કોઇપણ વિગત કે માહિતી મળે તો સરકારની વેબસાઇટ પર ચકાસી લેવી. તેમણે વાધુમાં જણાવ્યું કે, નાગરિકોને કોરોના વાયરસ માટે હકીકતલક્ષી જાણકારી મળી રહે તે માટે રાજય સરકારે ૧૦૪ ફીવર હેલ્પલાઇન શરૃ કરેલી છે. જિલ્લાકક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા ૨૪ટ૭ કન્ટ્રોલરૃમ કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નં.૦૨૮૩૨-૨૫૨૨૦૭ કાર્યરત કરવામાં આવેલો છે. કચ્છ જિલ્લામાં ભુજ એરપોર્ટ તાથા કંડલા એરપોર્ટ તાથા અદાણી પોર્ટ મુન્દ્રા પર આવતા મુસાફરોનું એરપોર્ટ અને સીપોર્ટ સ્ક્રીનીંગ આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક ધોરણે કરવામાં આવી રહયું છે . જલ્લામાં કોરોના અસરગ્રસ્ત દેશાથી આવતા કુલ ૧૯૯ મુસાફરો છે જેમાં ૧૪ દિવસના કવારેટાઈન સમય પૂર્ણ કર્યો હોય એવા ૨૭ મુસાફરો છે. હવે કચ્છમાં કોવીદ-૧૯નો એકપણ પોઝીટીવ કેસ નાથી જેાથી ગભરાવું નહીં.ં જી.કે.જનરલ હોસ્પિટલમાં ૪૨ પાથારીની હોસ્પિટલ ખાસ સારવાર માટે સજ્જ છે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ભારાપર ખાતે ૩૦ પાથારીની ફેસીલીટી ઉભી કરવામાં આવેલી છે. તેમજ ૪ વેલ્ટીનેટર છે તેમણે જણાવ્યું કે, કારણવગર બિનજરૃરી ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળો અપીલ કરાઈ છે.