એક તરફ કોરોનાના શંકાસ્પદ દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવા સહીત તેના સંપર્કમાં આવનાર અનેક લોકોની તપાસ કરાય છે. બીજીતરફ એ જ વહીવટીતંત્ર આવા દર્દીઓને મુખ્ય હોસ્પિટલ પહોંચાડવા માટે સુરક્ષાનું ધ્યાન રાખ્યા વગર અન્યોને ચેપ લાગે તે રીતે કામગીરી કરી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. આશાલડીના શંકાસ્પદ કેસોને ભુજ લઈ આવવા માટે આવી ઘોર બેદરકારી દાખવાઈ હોવાનું જણાયું છે.આશાલડીના કોરોનાના શંકાસ્પદ કેસોને પ્રાથમ દયાપર સીએચસીમાં લવાયા હતા. જ્યાં લક્ષણો ગંભીર જણાતા તેઓને સૃથાનિક સરકારી ડોકટર દ્વારા ભુજની જનરલ હોસ્પિટલ ખાતે મોકલવા જણાવીને સરકારી એમ્બ્યુલન્સના સૃથાને હોસ્પિટલના અન્ય કોન્ટ્રાકટ પરના ખાનગી વાહનમાં મોકલી દેવાયા હતા.આમ, ખાનગી વાહનમાં એમ્બ્યુલન્સની જેમ દર્દી અને ડ્રાઈવર કે અન્યોની કોઈ સુરક્ષાની સુવિાધા કે એક મીટરનું અંતર રહી શકતું નાથી. ત્યારે લોકોને કોરોનાથી બચવા અંગેની સલાહ આપતા આરોગ્ય ખાતાએ જ ડ્રાઈવર સહીતનાના જીવ જોખમમાં મુકીને ગંભીર અપરાધ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે જાગૃતો દ્વારા આરોગ્ય ખાતાને ફરીયાદ કરવામાં આવી હતી. ભુજની સિવિલ હોસ્પીટલમાં આવતા દર્દીઓની કોઈપણ જાતની કોરોના સંલગ્ન ચકાસણી કરાતી ન હોવાનો આક્ષેપ આપ દ્વારા કરાયો છે. આ અંગે કલેકટરને રજુઆત કરીને ધ્યાન દોરતા આમ આદમી પાર્ટીના સભ્યોએ જણાવ્યું હતું કે, હોસ્પીટલમાં આવતા દર્દીઓની ચકાસણી કરાતી ન હોવાથી તેઓ સામાન્ય લોકોના સંપર્કમાં પણ આવી શકે છે. દાખલ કરાતી વખતે જ તમામ દર્દીઓના તાપમાન તપાસીને તેને અલગ કરી દેવામાં આવે તે જરૃરી છે. તમામ ગેટ પર અંદર આવતા લોકોની ચકાસણી કરવામાં આવે તેવી માંગણી મુકાઈ છે.