કચ્છમાં કોરોનાના વધુ ૪ શંકાસ્પદ કેસ : હજમાંથી પરત આવેલા દંપતિ સહિત બે યુવકો સારવારમાં

કચ્છમાં કોરોનાના વધુ ૪ શંકાસ્પદ કેસ નોંધાતા લોકોમાં એક તરફ ભય ફેલાયો છે. બીજીતરફ વહીવટીતંત્ર દોડાધામમાં મુકાઈને સાવચેતીના પગલા ભરવા વ્યસ્ત બન્યું છે. હજ કરવા ગયેલા દંપતિ તાથા ગાંધીધામના પરપ્રાંતિય બે યુવકો કોરોનાના ચેપનો ભોગ બન્યા હોવાની શંકા વચ્ચે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ અત્યારસુાધી કચ્છમાં અગાઉના ૪ શંકાસ્પદ કેસના રીપોર્ટે નેગેટીવ આવી ચુક્યા છે. ત્યારે આજે વધુ ૪ કેસ જી.કે જનરલ હોસ્પિટલમાં નોંધાયા હતા. જેમાં આરોગ્ય અિધકારીના જણાવ્યા મુજબ લખપત તાલુકાના આશાલડીનું એક યુગલ કે જેઓ થોડા સમય પહેલા હજ કરવા મક્કા- મદિના ગયા હતા. તેઓમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને સારવાર માટે રાખવામાં આવ્યા છે. તો બીજીતરફ દિલ્લી અને પાણીપતના બે યુવાનો કે જેઓ પોતાના વતન ગયા હતા તેઓ કોઈ કોરોનાગ્રસ્ત વ્યકિતના સંપર્ક આવ્યા હોવાની શંકા વચ્ચે તેઓને પણ કોરોનાના લક્ષણ દેખા દેતા જી.કેમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તમામના નમુના જામનગર લેબોરેટરી ખાતે મુકી દેવામાં આવ્યા હોવાથી એક દિવસમાં રીપોર્ટ આવી જશે. ઉપરાંત આ ચાર વ્યક્તિઓના સંપર્કમાં આવનારા પરિચિતોનું ચેકઅપ પણ તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે. લોકોને ભયમાં મુકાવવાના બદલે તંત્રે સાવચેતીના તમામ પગલા અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના (covid-19) ના વાયરસને ફેલાતો અટકાવવા સમગ્ર કચ્છ જિલ્લામાં કલેકટર પ્રવિણા ડી.કે.દ્વારા જરૃરી પ્રતિબંધાત્મક આદેશોનું ફરમાન કરવામાં આવ્યું છે. આ હુકમનો અમલ તા.૩૧/૩/૨૦૨૦ સુાધી રહેશે. જિલ્લામાં આવેલ તમામ વોટરપાર્ક, ઓડિટોરિયમ, પાર્ટી પ્લોટ, મેરેજહોલ, લગ્નવાડી, ગેમઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, શોપીંગ મોલ, ડાન્સ કલાસીસ, કલબ હાઉસ, જાહેર તાથા ખાનગી બીચો અને પાન તમાકુની દુકાનો બંધ રાખવાના રહેશે. સમગ્ર કચ્છમાં જાહેર કે ખાનગી સૃથળોએ સભા, સંમેલન, મેળાવડા, લોકમેળા પ્રસંગોએ વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજનો કરવા નહીં. તેમજ આયોજનોમાં વાધારે લોકોએ હાજર રહેવું નહીં.જિલ્લામાં પ્રેકટિશ કરતા તમામ મેડીકલ, હોમીયોપેિથક, આયુર્વેદિક દવાખાના, ખાનગી હોસ્પિટલોમાં કોરોના લક્ષ્ણો ધરાવતા કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય કે કોરોના સબંિધત પોઝીટીવ રીપોર્ટ આવે તો હેલ્પલાઇન નંબર ૧૦૪ અને કન્ટ્રોલ રૃમ ફોન નં.૦૨૮૩૨-૨૫૨૨૦૭ પર સંપર્ક કરવો તેમજ તેની જાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અિધકારી કે નજીકની સરકારી હોસ્પિટલના તબીબને તરત જાણ કરવાની રહેશે. ભારત અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.૧૩/૩/૨૦૨૦ના નોટીફિકેશનાથી ગુજરાત એપેડેમીક ડીસીઝ (ર્બપૈગ-૧૯) રેગ્યુલેશન ૨૦૨૦ જાહેર કરેલ છે. આ નોટીફિકેશનની ગાઇડલાઇન મુજબ વિશેષ તકેદારીના પગલાં લેવા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરએ સમગ્ર કચ્છ વિસ્તારમાં તા.૨૦/૩/૨૦૨૦ થી તા.૩૧/૩/૨૦૨૦ સુાધી અમલી આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે એમ જણાવ્યું છ કોરોના મહામારીના ૫ગલે આગામી ૨૨મીએ સમગ્ર રાષ્ટ્રમાં સ્વયંભુ બંધનું આહ્વાન કરવામાં આવ્યુ છે ત્યારે એસ.ટી.નિગમ દ્વારા પણ તમામ બસ સર્વિસોનું સંચાલન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ભુજ એસ.ટી. વિભાગની તમામ બસ સર્વિસોનું સંચાલન પણ બંધ રહેશે. કોરોના વાયરસના ફેલાવાના અટકાવવાના ભાગરૃપે તમામ વિભાગ દ્વારા સર્તકતા અનુભવાઈ રહી છે ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા પણ રવિવારે તમામ બસ સર્વિસોનું સંચાલન બંધ રાખવામાં આવ્યુ છે.વિભાગીય નિયામકે એક યાદીમાં જણાવ્યુ હતુ કે, તા.૨૨ના સવારના ૭ કલાકાથી રાત્રે ૯ કલાક સુાધી ભુજ એસ.ટી. વિભાગની તમામ બસ સર્વિસોનું સંચાલન બંધ રહેશે. ૨૧ માર્ચના એસ.ટી.નિગમ ભુજ વિભાગ દ્વારા સાંજના ૬ કલાક સુાધી જ સંચાલન કરવામાં આવનાર હોઈ તેમજ રાત્રિ રોકાણની સર્વિસોને પણ રાત્રિ રોકાણના સૃથળેાથી પરત ડેપો લાવવા નિર્ણય લેવામાં આવ્યો હોવાથી ૨૧ માર્ચના સાંજના ૬ વાગ્યા સુાધીમાં બસને પોતાના વતનમાં બસ સમયસર પહોંચાડવાની રહેશે તેવુ વિભાગીય નિયામક સી.ડી.મહાજને જણાવ્યુ હતુ