આજથી સમગ્ર ગુજરાતમાં કરાયેલ લોકડાઉનની અસર આજે કચ્છમાં વરતાઈ રહી છે. ગઈકાલે કચ્છમાં લોકડાઉનને કયાંક કયાંક હળવાશમાં લેવાયા બાદ વહીવટી અને પોલીસ એ બન્ને તંત્રો વતી કલેકટર પ્રવીણા ડીકે અને આઈજી સુભાષ ત્રિવેદીએ કડકાઈભરી કામગીરીની ચેતવણી આપી લોકડાઉન સૌના આરોગ્યના હિત માટે જરૂરી હોવાનું જણાવીને સોશ્યલ, પ્રિન્ટ અને ઇલકટ્રોનિક મીડીયાના માધ્યમથી લોકોને સહયોગ આપવા અપીલ કરી છે.ઙ્ગ દરમ્યાન ગઈકાલે જાહેરનામાનો ભંગ કરી કામગીરી ચાલુ રાખનાર અંજારની શિપિંગ કંપનીને સીલ કરાઈ છે. તો, જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકોના અકીલા ૧૩૭ વાહનો ડિટેઇન કરાયા છે, ગાંધીધામમાં પોલીસ સાથે માથાકૂટ કરનાર ત્રણ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરાયો છે. તો, ભુજ, ગઢશીશા, મુન્દ્રામાં ૧૦ વ્યાપારીઓ સામે ગુનો દાખલ કરાયો છે. તમામની ધરપકડ કરી ફોજદારી કાર્યવાહી દ્વારા તંત્રએ કડકાઈપૂર્વકનું વલણ અપનાવ્યું છે. દરમ્યાન આજે લોકડાઉનનું પાલન કરાવવા તંત્ર સવારથી જ સજ્જ છે. તો, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને સ્થાનિક અધિકારીઓની વારંવારની રજુઆત પછી લોકોએ પણ હવે ગંભીરતા સમજીને બહાર નીકળવાનું ટાળ્યું હોઈ આજે સવારથીજ કચ્છના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. જોકે, પોલીસ જવાનો સજ્જ છે. દરમ્યાન માંડવી, ભુજ, ગાંધીધામ મધ્યે નગરપાલિકા દ્વારા સેનિતાઈઝેશનની કામગીરી હાથ ધરાઈ છે. જાહેર સ્થળો, રસ્તાઓ, મુખ્ય હોસ્પિટલ, જેલ સહિતના સ્થળોને સેનિટાઈઝ કરાયા છે